મ્યુકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે જેને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. શ્વાસ અથવા ચામડીના પર ના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન ચામડી, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.બીમારીને કારણે ગુજરાતમાં કેટલાયે દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. કોરોના રિકવરી પછી ઈમ્યુનિટી સાવ ઘટી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ આસાનીથી ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ પેશન્ટ તેનો શિકાર શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે.
કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2થી 4 દિવસ લાગે છે. જો કે, આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છેઆ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે.
આ બીમારી ના લક્ષણો ના પ્રકાર માં આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે.કોરોના રીકવરી બાદ દર્દીએ ધ્યાન માં રાખવા જેવી બાબત જેમકેજો માથામાં અસહ્ય દુખાવો થતો હોય, આંખો લાલ થઈ જાય, આંખમાં બળતરા થાય, આંખમાંથી પાણી પડે કે, આંખનું યોગ્ય મુવમેન્ટ ન થતું હોય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ.
આ રોગ ની સારવાર માં એમ્ફોટેરિસીન બી ઈન્જેક્શન આ રોગની મુખ્ય સારવાર છે. જો કેઆ ઈન્જેક્શનની અછત ને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઈમ્યુલ્ઝન પણ આપતા હોય છે. મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલ