બોમ્બે ડાઈંગ સહિત 82 કંપનીઓ પર 22.64 કરોડનો દંડ, 45 દિવસમાં ચૂકવવી પડશે રકમ

02 Nov 22 : કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ બોમ્બે ડાઈંગ, સનસ્ટાર રિયલ્ટી અને રેલિગેર ફિનવેસ્ટના મામલામાં 82 કંપનીઓ અને તેમની સહયોગી કંપનીઓ પર રૂ. 22.64 કરોડનો દંડ ફટકાર્યો છે. મંગળવારે સેબીએ કહ્યું કે રેલિગેરમાં નાણાંની ગેરરીતિના કિસ્સામાં ફોર્ટિસ હેલ્થકેર અને અન્ય પર બે લાખથી એક કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રકમ 45 દિવસમાં ચૂકવવાની રહેશે. માર્કેટ રેગ્યુલેટરના આદેશ મુજબ, રેલિગેર એન્ટરપ્રાઇઝિસ (REL) ના ભંડોળ અગાઉના પ્રમોટરોના લાભ માટે તેની પેટાકંપની રેલિગેર ફિનવેસ્ટ (RFL) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સાથે તેના પ્રમોટર્સ માલવિન્દર અને શિવિન્દર મોહન સિંહે પણ RFL પાસેથી લીધેલી લોનની ચુકવણી માટે ભંડોળનો ખોટો ઉપયોગ કર્યો હતો.

390 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ છેતરપિંડી યોજના હેઠળ રેલિગેરને 2,473.66 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમાંથી RFLના રૂ. 487.92 કરોડનો દુરુપયોગ થયો હતો. REL RFLમાં 85.64 ટકા હિસ્સો ધરાવે છે. બોમ્બે ડાઈંગ કેસમાં 59 લાખનો દંડ : બોમ્બે ડાઈંગ કેસમાં 9 લોકો પર કુલ 59 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ લોકો કંપનીની ઓડિટ કમિટીના સભ્યો અને સીએફઓ હતા. આ લોકોએ નાણાકીય વર્ષ 2012 થી 2019 વચ્ચેના નાણાકીય નિવેદનોની યોજનાઓને ખોટી રીતે રજૂ કરી હતી. જેમાં આવક અને નફાના ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા. અગાઉ ઓક્ટોબરમાં સેબીએ 10 વ્યક્તિઓ અને કંપનીઓને શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં બોમ્બે ડાઈંગના પ્રમોટર્સ નુસ્લી વાડિયા, નેસ વાડિયા અને જેહ વાડિયાનો સમાવેશ થાય છે. તેમના પર 15.75 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સનસ્ટાર રિયલ્ટીમાં 21 લોકોને દંડ : સનસ્ટાર રિયલ્ટીના કુલ 21 લોકોને 1.05 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ લોકો કંપનીના શેરમાં જુગાર રમતા હતા અને તેની કિંમત ઘટાડતા હતા અને વધારો કરતા હતા. તમામને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જૂન 2015 અને માર્ચ 2016 વચ્ચે સેબી દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી.

વધુમાં વાંચો… સરકારે ઇથેનોલના ભાવ વધારા અંગે લીધો નિર્ણય, જાણો શું છે કારણ ?

સરકારે બુધવારે પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇથેનોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણની માત્રા બમણી કરીને 20 % કરવાની તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA) એ ડિસેમ્બર 2022થી શરૂ થતા સપ્લાય વર્ષ માટે શેરડીના રસમાંથી કાઢવામાં આવેલા ઇથેનોલની કિંમત વર્તમાન રૂ. 63.45 પ્રતિ લિટરથી વધારીને રૂ. 65.60 પ્રતી લીટર કરી દીધી છે.

ત્યારે સી-હેવી સીરમાંથી તૈયાર ઇથેનોલનો દર, જે હાલમાં 46.66 રૂપિયા પ્રતિ લિટર છે, તે વધારીને 49.40 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ સાથે જ સીરમાંથી તૈયાર ઈથેનોલનો દર 59.08 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 60.73 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરતાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, અમે ખેડૂતો ને લાભાન્તીત કરવા ઉપરાંત પેટ્રોલમાં 10 % ઇથેનોલ ભેળવીને લગભગ રૂ. 40,000 કરોડની બચત કરી છે. તેમણે કહ્યું કે, ઈ-20 (20 % ઈથેનોલ સાથે પેટ્રોલ) સાથે જોડાયેલ એક પાયલટ પ્રોજેક્ટને એપ્રીલ 2023થી પસંદ કરવામાં આવેલ પેટ્રોલ પંપ પર શરૂ કરવામાં આવશે. શેરડીની સાથે તૂટેલા ચોખા અને અન્ય કૃષી ઉત્પાદનોમાંથી કાઢવામાં આવેલ ઈથેનોલ ના ઉપયોગથી વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલના ગ્રાહક અને આયાતકારને વિદેશી શિપમેન્ટ પરની તેની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. ભારત હાલમાં પોતાની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની 85 % આયાત પર નિર્ભર છે. 30 નવેમ્બર 2022ના રોજ પૂરા થયેલા સપ્લાય વર્ષ દરમિયાન પેટ્રોલમાં 452 કરોડ લિટર ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ 540 કરોડ લીટરની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here