ભાવનગરની સમરસ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન અને ખરાબ સફાઇ, ABVPએ સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું

30 Aug 2 : ભાવનગર ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું ભોજન, ખરાબ સફ઼ાઇવ્યવસ્થા સહિત અનેક બાબતો ની ફરિયાદો થતી આવી છે. આ બાબતે હોસ્ટેલમાં રહેતી બહેનો દ્વારા સંબંધિતઅધિકારીઓને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી એ સમસ્યાઓ માટે કોઈ પગલાં લેવાયા નથી. આને કારણે ABVP દ્રારા સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.અનેક બાબતોની ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ નહીં આ બાબતે હોસ્ટેલની બહેનોએ ABVPનો સંપર્ક કરતાં સ્થિતિ ભયાનક જાણવા મળી હતી. હોસ્ટેલ માં બહેનો માટે બનાવી ને પીરસેલા ભોજનમાં જીવાતો નિકળવી, જમવાના વાસણોની યોગ્ય સફાઇ ન થવી, લાઇટ અને પંખાનું સમયસર સમારકામ ન થવું, ફરિયાદ નિવારણ માટેની અસક્ષમ આંતરિક વ્યવસ્થા જેવી અનેક બાબતો ABVPની સ્થળ તપાસમાં બહાર આવી. 7 દિવસનું અલ્ટીમેટમ:ભાવનગરની સમરસ હોસ્ટેલ માં હલકી ગુણવત્તાનું ભોજન અને ખરાબ સફાઇ, ABVPએ સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું

સાત દિવસમાં નિવારણ નહીં આવે તો લડાઇને વધુ ઉગ્ર બનાવી આંદોલનના મંડાણ કરાશે – ભાવનગર ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું ભોજન અને ખરાબ સફ઼ાઇવ્યવસ્થા સહિત અનેક બાબતોની ફરિયાદો થતી આવી છે. આ બાબતે હોસ્ટેલમાં રહેતી બહેનો દ્વારા સંબંધિતઅધિકારીઓને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી એ સમસ્યાઓ માટે કોઈ પગલાં લેવાયા નથી. આને કારણે ABVP દ્રારા સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
અનેક બાબતોની ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ નહીં – આ બાબતે હોસ્ટેલની બહેનોએ ABVPનો સંપર્ક કરતાં સ્થિતિ ભયાનક જાણવા મળી હતી. હોસ્ટેલ માં બહેનો માટે બનાવીને પીરસેલા ભોજનમાં જીવાતો નિકળવી,જમવાના વાસણોની યોગ્ય સફાઇ ન થવી,લાઇટ , પંખાનું સમયસર સમાર કામ ન થવું, ફરિયાદ નિવારણ માટેની અસક્ષમ આંતરિક વ્યવસ્થા જેવી અનેક બાબતો ABVPની સ્થળ તપાસમાં બહાર આવી.
સમરસ હોસ્ટેલના રેક્ટરને લેખિત રજૂઆત કરી – આ તમામ બાબતોની ગંભીરતા સમજી ને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ભાવનગર ખાતેની સમરસ ગર્લ્સ હોસ્ટેલની 9 સમસ્યાઓનું સત્વરે નિરાકરણ કરવા માટે સમરસ હોસ્ટેલના રેક્ટરને લેખિત રજૂઆત કરી ને હોસ્ટેલના સંબંધિત સરકારી અધિકારીને તમામ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી દિવસ સાતમાં તમામ બાબતોનું સમાધાન કરવા માટે અલ્ટિમેટમ આપ્યું.
ABVPની તમામ બહેનોના હક્કની લડાઇને વધુ ઉગ્ર બનાવશે – આખા ભાવનગર જિલ્લામાંથી અભ્યાસ અર્થે ભાવનગર આવતી દીકરીઓ ને જમવા અને રહેવા બાબતે તકલીફ઼ રહે તો એ એમના અભ્યાસને અસર કરી શકે છે. આથી આ બાબતમાં જો સાત દિવસમાં પ્રશ્નોનું સમાધાન નહીં કરવામાં આવે તો ABVP આ તમામ બહેનોના હક્કની લડાઇને વધુ ઉગ્ર બનાવી આંદોલનના મંડાણ કરશે, તેમ એબીવીપી ભાવનગર નગરના અધ્યક્ષ નિયતિ પંડ્યાએ ચીમકી ઉચ્ચારી છે