અમદાવાદને મળશે નવા 5 ઓવરબ્રિજ, ચૂંટણી પહેલા 462 કરોડના ખર્ચે તૈયાર થશે નવા બ્રિજ

29 Aug 22 : અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરને ટ્રાફિક અને ફાટકમુક્ત બનાવવા રેલવે ક્રોસિંગ અને મોટા જંકશન પર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં રૂ. 462 કરોડના ખર્ચે ત્રણ રેલવે ક્રોસિંગ અને બે મોટા જંકશન પર એમ 5. ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ જશે. બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે. ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે.

અમદાવાદ શહેરમાં અંદાજે કુલ 60 બ્રિજ છે. જગતપુર પારો લવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે વર્ષ 2024માં બનીને તૈયાર થઈ જશે. ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા પ્રયાસ રારમાં ઝડપથી લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં વેજલપુરથી આનંદનગર, મકરબાથી પ્રહલાદનગર, હેબતપુર પાસે એમ ત્રણ રેલ્વેલાઈન પર એમ જ સતાધાર ચાર રસ્તા અને નરોડા પાટિયાથી ગેલેક્સી જંકશન પર ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. મ્યુ. કોર્પોરેશન ના રોડ એન્ડ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ વેજલપુરથી આનંદનગર, મકરબાથી પ્રહલાદનગર રેલવે ક્રોસિંગ પર રોજ નાં અંદાજે 3 લાખ જેટલા વાહનો પસાર થાય છે.

હેબતપુર રેલવેલાઇન અને સતાધાર જંકશન પર અંદાજે 3.5 લાખથી વધુ વાહનો પસાર થાય છે. જ્યારે નરોડા પાટિયાથી ગેલેક્સી સુધી 5 લાખથી વધુ વાહનો પસાર થાય છે ત્યારે લોકોને આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે એના માટે કુલ રૂ. 462 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવા તૈયારી ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભાજપના સત્તાધીશો દ્વારા ચૂંટણી પહેલાં તમામ 5 બ્રિજની કામગીરી શરૂ કરવા માટેની તૈયારી દર્શાવી છે. નરોડા પાટિયાથી ગેલેક્સી પર બ્રિજ માટે રિટેન્ડર કરવામાં આવ્યું છે, જે ચૂંટણી પહેલાં પક્રિયા પૂર્ણ થતા તેની પણ કામગીરીરૂ કરી દેવામાં આવશે. 10 સપ્ટે. પહેલાં આ તમામ 5 બ્રિજનું ખાતમુહર્ત કરવાની તૈયારી ભાજપના સત્તાધીશો દ્વારા કરી દેવામાં આવી છે અને અધિકારીઓને પણ સૂચના આપવા માં આવી છે કે ઝડપથી ટેન્ડર અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે.