રાહુલ ગાંઘીની મુલાકાત પહેલા કોંગ્રેસના મૂરતિયાઓની પસંદગી થશે, ત્યાર બાદ બીજા લિસ્ટની પણ તૈયારીઓ…

27 Aug 22 : સૌથી પહેલા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઉમેદલવારોનું લિસ્ટ જાહેર કરવાના શ્રી ગણેશ કર્યા છે ત્યારે હવે કોંગ્રેસ પણ આ દિશા તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ દ્વારા 15 તારીખ પહેલા નવા મૂરતિયાઓની પસંદગી વિવિધ બેઠકો પરથી પ્રથમ લિસ્ટને લઈને જાહેર કરાશે. ખાસ કરીને રાહુલ ગાંધી 2 મહિના બાદ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ તેમના હસ્તે કરવામાં આવશે પરંતુ એ પહેલા સ્ક્રિનિંગ કમિટીના સભ્યો આવશે જેઓ ઉમેદવારોની પસંદગીને લઈને સમીક્ષા કરશે અને આ લિસ્ટ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજો સાથેની મંત્રણા બાદ મહોર મારવામાં આવશે તેવી શક્યતાઓ છે.

15 તારીખ પહેલા કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા પ્રથમ લિસ્ટમાં વધુ શહેરી વિસ્તારનું લિસ્ટ હશે. વહેલા પ્રચાર થઈ શકે માટે આ લિસ્ટ પહેલા જાહેર કરાય તેવી શક્યતાઓ છે. બુથ મેનેજમેન્ટ અને બુથ પર કોને મૂકવા ક્યાં સભા કરવી સહિતની બાબતોમાં ઉમેદવારો દખલગીરી નહીં કરી શકે. 58 જેટલા નામો હાઈકમાન્ડ મોકલાયા છે તેના પર અંતીમ સમીક્ષા કરી ફાઈનલ કરાશે.

પ્રથમ યાદી જાહેર કર્યા બાદ બેક ટુ બેક બીજી યાદી પણ જાહેર કરાશે. એક સપ્તાહ બાદ બીજી યાદી તેના પછી જાહેર કરાય તેવી શક્યતા છે. ઉમેદવારોને પૂર જોશથી પ્રચાર કરવા માટે આદેશ કરાશે. વહેલી યાદી જાહેર કરી ઉમેદવારોને પ્રજા વચ્ચે જઈ પ્રચાર શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવશે. આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓની સરખામણીમાં રાહુલ ગાંધીની મુલાકાતો ઓછી જોવા મળી રહી છે. 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાત મુલાકત દરમિયાન મહત્વની ચૂંટણી લક્ષી ગેરન્ટી રાહુલ ગાંધી કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હોવા છતાં કોંગ્રેસને તૂટતી બચાવવા રાજસ્થાનના CM અશોક ગેહલોત સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારો જાહેર કરશે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક કરશે.

4 તારીખે  કમિટીના સભ્યો આવશે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાશે. 15 તારીખ પહેલા કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. પ્રથમ યાદીના 1 સપ્તાહ બાદ બીજી યાદી જાહેર કરાશે કોંગ્રેસના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધી સ્ક્રીનીંગ કમિટી નાં સભ્યો અને ઈલેકશન કમિટીનાં સભ્યો સાથે ચર્ચા વિચારણા કરાશે અને ઉમેદવારી પસંદગી અંગે ચર્ચા કરશે.પ્રથમ લિસ્ટ એવા ઉમેદવારોનું હશે જ્યાં વર્ષોથી કોંગ્રેસ હારતી આવી છે અને એવા પણ ઉમેદવારો હશે જેના સિવાય પાર્ટી પાસે કોઈ વિકલ્પ નથી.

પ્રથમ યાદી જાહેર કર્યા બાદ તેના એક સપ્તાહ બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને માત્ર પ્રચાર કરવાનો રહેશે. બુથ મેનેજ મેન્ટ અને બુથ પર કોને મૂકવા ક્યાં સભા કરવી સહિતની બાબતોમાં ઉમેદવારો દખલગીરી નહીં કરી શકે. વહેલી યાદી જાહેર કરી ઉમેદ વારોને પ્રજા વચ્ચે જઈ પ્રચાર શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવશે. ચૂંટણી સમિતિમાં 39 નેતાઓનો સમાવેશ કોંગ્રેસને માત્ર ભાજપ નો પડકાર નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ આ વખતે ફુલ ફોર્મમાં દેખાઈ રહી છે. વારંવાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ કમરી કસી લીધી છે. તેના ભાગરૂપે કોંગ્રેસે પ્રદેશ સમિતિમાં 39 નેતાઓનો સમાવેશ કર્યો છે.આ સાથે જ કોંગ્રેસ છોટા ઉદેપુર, ભરુચ શહેર, ગીર સોમનાથમાં જિલ્લામાં અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરી છે.

સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલએ પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોક સભા ઈન્ચાર્જ સાહિતીના આગેવાનો સાથે આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી આરંભી દીધી છે.

ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. ગહેલોતે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે,ગુજરાતના રસ્તાઓ આજે સારા રહ્યા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિ સ્થિતિ વિપરિત થઈ ગઈ છે.

રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જો 2022    માં કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં  લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. જેને કોંગ્રેસ છોડી જવુ હોય એને જવા દો અમદાવાદમાં કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુ ગોપાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસની સત્તા લાવવાનો આ ગોલ્ડન ચાન્સ છે. જેને કોંગ્રેસ છોડી જવું હોય એને જવા દો. ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ઈડીનો ઉપયોગ ચૂંટણી ના સમયે કરશે. એનાથી ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસ ની હિમ્મત એમના કાર્યકર્તા છે. ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટ મેન્ટ તરીકે કરી રહી છે. ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચાર ધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપ નાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે.