ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી, વ્હાઇટ હાઉસની ઉમેદવારી માટે દસ્તાવેજો કર્યા ફાઇલ

16 Nov 22 : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની ઉમેદવારી માટે દસ્તાવેજો ફાઇલ કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણયથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે. ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા પછી ટ્રમ્પે એક નિવેદન પણ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, આજે હું અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે મારી ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું. ટ્રમ્પની આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે ટ્રમ્પે અમેરિકાને નિરાશ કર્યા છે.

ટ્રમ્પ પહેલા જ આપી ચૂક્યા છે સંકેત : જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે 8 નવેમ્બરે ટ્વીટ કર્યું હતું કે તેઓ 15 નવેમ્બરે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે, ત્યારથી તેમના ઈશારાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ 2024માં ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. જણાવી દઈએ કે, ટ્રમ્પની આ જાહેરાત અમેરિકા માં મધ્યસત્ર ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ટ્રમ્પનું પેપરવર્ક તેમની ઉમેદવારી સ્થાપિત કરવા માટે ફેડરલ ચૂંટણી સમિતિ પાસે પહોંચી ગયું છે.

ટ્રમ્પે કહ્યું કે, દુનિયામાં આવું ક્યારેય બન્યું નથી અને ભાગ્યે જ બનશે. તેમણે કહ્યું કે, અમારું આંદોલન અનોખું હશે. અમેરિકાનું પુનરાગમન શરૂ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું, મારા નેતૃત્વમાં અમેરિકા એક મહાન અને ગૌરવપૂર્ણ દેશ હતો પરંતુ હવે આપણો દેશ પતન તરફ જઈ રહ્યો છે. એક દેશ તરીકે આપણે નિષ્ફળ ગયા છીએ.

જો અમે હોત તો યુક્રેનમાં રશિયાનું યુદ્ધ ક્યારેય ન થાત : ટ્રમ્પ

રિપબ્લિકન પાર્ટી વિશે વાત કરતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, તેમની પાર્ટી ખૂબ મોટી છે, ખૂબ મજબૂત છે, ખૂબ શક્તિશાળી છે. અમારી પાર્ટી દેશ માટે સર્વોચ્ચ પ્રદર્શન આપી શકે છે. તેણે એમ પણ કહ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો યુક્રેનમાં રશિયાનું યુદ્ધ ક્યારેય ન થાત. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ્સે પણ તેનો સ્વીકાર કર્યો છે. જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અગાઉ ટ્રમ્પ 2016માં જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે 2020માં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને જો બાઈડનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 2024માં પણ અમે બીટને હરાવીશું.

વધુમાં વાંચો… સરહદ પર તણાવ વધ્યા બાદ પોલેન્ડની સેના એલર્ટ, બાઈડને G-7 દેશો અને નાટોના સભ્ય દેશોની બોલાવી ઈમરજન્સી બેઠક

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયા દ્વારા છોડવામાં આવેલી બે મિસાઈલો યુક્રેન સરહદ પાસે નાટોના સભ્ય દેશ પોલેન્ડના વિસ્તારમાં પડી હતી. અહેવાલ અનુસાર, પોલિશ મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. રશિયન સમાચાર એજન્સીએ જણાવ્યું કે, યુક્રેનની સરહદ પર લ્યુબ્લિન વોઇવોડશીપમાં પ્રિઝવોડોના વસ્તીવાળા વિસ્તારમાં બે રોકેટ પડ્યા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, પોલીસ અને સેના ઘટનાસ્થળે કામ કરી રહી છે.

પોલેન્ડ સૈન્યને કર્યું એલર્ટ, બાઈડને બોલાવી G-7 અને નાટોની કટોકટીની બેઠક

તાજેતરની માહિતી અનુસાર, સરહદ પર તણાવ વધ્યા બાદ પોલેન્ડે તેની સેનાને એલર્ટ રહેવા માટે કહ્યું છે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ મામલે G-7 દેશો અને નાટોના સભ્ય દેશોની ઈમરજન્સી બેઠક બોલાવી છે.

પોલેન્ડે રશિયાના રાજદૂતને બોલાવ્યા : પોલેન્ડે આ મામલે રશિયાના રાજદૂતને બોલાવ્યા છે. પોલેન્ડના વિદેશ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા લુકાજ જેસીનાએ કહ્યું કે, અમે તાત્કાલિક આ ઘટના અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 15 નવેમ્બરે રશિયા તરફથી યુક્રેન પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને સેનાએ તેના માળખાકીય માળખાને પણ નષ્ટ કરી દીધા હતા. બપોરે 3.40 કલાકે લ્યુબ્લિન પ્રાંતના હ્રુબિજોવ ડિસ્ટ્રિક્ટના પ્રઝેવોડોવ ગામ પર રશિયન બનાવટની મિસાઈલ છોડવામાં આવી હતી અને તેના પરિણામે પોલેન્ડ પ્રજાસત્તાકના બે નાગરિકોના મૃત્યુ થયા હતા. એટલા માટે પોલેન્ડના વિદેશ પ્રધાન ઝબિગ્ન્યુ રાઉએ તાત્કાલિક રશિયન રાજદૂતને બોલાવીને આ ઘટના અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે.

આ રોકેટ રશિયામાં બનાવવામાં આવ્યું હતું, પોલેન્ડના વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

તાજેતરની માહિતી અનુસાર, પોલેન્ડના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેના ક્ષેત્રમાં પડેલું રોકેટ રશિયામાં બનાવવામાં આવ્યું હતું. બીજી તરફ, નાટોની કલમ 4ના આધારે પોલેન્ડ દ્વારા કરવામાં આવેલી વિનંતી હેઠળ, નાટોમાં સામેલ સભ્ય દેશોના રાજદૂતો આજે આ મામલે એક બેઠક કરશે. નાટોના આર્ટિકલ 4 મુજબ, સભ્યો સભ્ય રાષ્ટ્રની સુરક્ષાને લઈને કોઈપણ ચિંતાનો મુદ્દો ઉઠાવી શકે છે. યુરોપિયન રાજદ્વારીઓને ટાંકીને આ માહિતી સામે આવી છે.

રશિયાએ કર્યો ઈનકાર

મોસ્કોએ પોલેન્ડ પર રશિયન મિસાઇલોના હુમલાના અહેવાલને ‘ઉશ્કેરણી’ ગણાવ્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે, રશિયન મિસાઇલો પોલેન્ડના વિસ્તારમાં ત્રાટકી હતી. અહેવાલનું વર્ણન કરતાં, તેને “યુદ્ધની વધતી જતી સ્થિતિ વચ્ચે ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, યુક્રેન-પોલેન્ડ સરહદને નિશાન બનાવીને રશિયન મિસાઈલો દ્વારા કોઈ હુમલા કરવામાં આવ્યા નથી. પોલેન્ડમાં મિસાઈલો પડવાના સમાચાર પર હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બનાએ ડિફેન્સ કાઉન્સિલની બેઠક બોલાવી હતી. એએફપીએ અધિકારી ને ટાંકીને આ માહિતી આપી હતી. યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને આ સંદર્ભમાં કહ્યું કે, અમે પોલેન્ડના અહેવાલો જોયા છે. અમે આ સમયે અહેવાલ અથવા કોઈપણ વિગતોની પુષ્ટિ કરી શકતા નથી. યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહ કાર જેક સુલિવાન પોલેન્ડના રાષ્ટ્રીય સુરક્ષા બ્યુરોના વડા જેસેક સિવેરા સાથે વાત કરે છે.

નાટો સેક્રેટરી જનરલે પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે કરી વાત : પોલેન્ડમાં ‘વિસ્ફોટ’ના અહેવાલો પર નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ પોલેન્ડના પ્રમુખ એન્ડ્રેઝ ડુડા સાથે વાત કરી, જાનહાનિને શોક વ્યક્ત કર્યો, હકીકતો સ્થાપિત કરવાનો આગ્રહ રાખે છે. આ સિવાય પ્રેસિડેન્ટ એન્ડ્રેજ ડુડા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી છે.

પોલેન્ડના વડા પ્રધાને બેઠક બોલાવી : પોલેન્ડના વડા પ્રધાન મેટ્યુઝ મોરાવીકીએ દેશના ક્ષેત્રમાં મિસાઇલો પડી હોવાના અહેવાલો બાદ મંત્રી પરિષદની સુરક્ષા પરિષદ સમિતિની બેઠક બોલાવી હતી. સરકારના પ્રવક્તા પીઓટર મુલરે ટ્વીટ કર્યું કે, વડા પ્રધાન મોરાવીકીએ રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ બાબતો માટે મંત્રીઓની સમિતિની તાત્કાલિક બેઠક બોલાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here