સારી કામગીરી માટે અમદાવાદ રેલ્વે ડિવિઝન ને ભારતીય રેલ્વેના ટોચના પાંચ ડિવિઝનો માં સ્થાન

04 Jan 22 : પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ચાલુ નાણાકીય વર્ષ 2021 22માં તમામ પ્રકારની કામગીરીના પ્રદર્શનના આધાર પર ભારતીય રેલ્વેના તમામ મંડળોમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી કીર્તિમાન સ્થાપિત કરેલ છે. અમદાવાદ મંડળને  તમામ પ્રકારની કામ ગીરીના પ્રદર્શન (overall performance) ના આધાર પર આ ઉપલબ્ધી હાંસિલ થઇ છે.

વધુ માહિતી આપતાં મંડળ રેલ પ્રબંધકશ્રી તરુણ જૈને જણાવ્યું હતું કે ગત વર્ષ 2020-21માં અમદાવાદ મંડળ KPI રેન્કિંગમાં 18 માં સ્થાને હતું,અમદાવાદ મંડળે છેલ્લા કેટલાક મહિનામાં સતત શાનદાર પ્રદર્શન કરી ભારતીય રેલ્વેના ટોચના 5 મંડળોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અમદાવાદ મંડળે  તાજેતરના ભૂતકાળમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે  જેના કારણે  ભારતીય રેલ્વેના તમામ મંડળોમાં ટોચના પાંચમા  રેન્કિંગ મેળવવામાં મદદ મળી છે.

કામગીરી પ્રદર્શનનું મૂલ્યાંકન વિવિધ પ્રદર્શન સૂચકાંકો (KPIs) ના આધારે કરવામાં આવે છે. મંડળોને સલામતી, કામગીરી, આવકની પ્રાપ્તિ, ટ્રેનની સમયની પાબંદી, અસ્કયામતોની વિશ્વસનીયતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો વગેરે જેવા પરિમાણોના આધારે ક્રમાંકિત કરવામાં આવે છે.

અમદાવાદ મંડળના પરિમાણોમાં થયેલા મહત્વના સુધારા અંગેનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે –

  • નવેમ્બર-2021 ના ​​મહિના માટે અમદાવાદ મંડળની મહેસૂલ પ્રાપ્તિ રૂ. 3963 કરોડ છે જે ગયા વર્ષ કરતાં 19% વધુ છે. ગયા વર્ષના સ્ક્રેપ નિકાલની કામગીરીની સરખામણીમાં કમાણી 22% સુધરી છે. તેવી જ રીતે કાર્ગો શિપમેન્ટમાં પણ 11 ટકાનો ઉછાળો આવ્યો છે.
  • અમદાવાદ મંડળ સલામતીમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે, જેના કારણે ગયા વર્ષની સરખામણીમાં અકસ્માતોમાં 67 ટકાનો ઘટાડો થયો છે. સુરક્ષામાં સુધારો કરવા માટે, અમદાવાદ મંડળે ચાલુ વર્ષમાં 18 માનવ સંચાલિત એલસી ગેટ દૂર કર્યા છે. અને એક એલસી ગેટ ને ઇન્ટરલોક કર્યો છે
  • અમદાવાદ મંડળમાં ટ્રેક સુધારણાના કામો સંદર્ભે, ચાલુ વર્ષ માટે ટ્રેક રિનોવેશનના કામમાં 21%, પ્લાન ટ્રેકની ડીપ સ્ક્રીનીંગમાં 62% અને ટર્ન આઉટની ડીપ સ્ક્રીનીંગમાં 363% નો સુધારો જોવા મળ્યો છે.
  • ચાલુ વર્ષમાં, અમદાવાદ મંડળ  31.97 કિમીની બીજી લાઈન (ડબલિંગ) નું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. ગેજ કન્વર્ઝન, નવી લાઇન, રેલવે ઇલેક્ટ્રિફિકેશન જેવી અન્ય ક્ષમતામાં  વધારાના કામોની પ્રગતિ પણ સારી ગતિએ ચાલી રહી છે.
  • વર્તમાન વર્ષમાં અમદાવાદ મંડળે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ બર્થ નંબર 13 થી 16 સુધી રેલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ખાનગી પોર્ટ સાઇડિંગની કામગીરી શરૂ કરી છે. જેનાથી લોડિંગમાં સુધારો કરવામાં મદદ મળશે
  • ટ્રેનોની ગતિ સુધારવા માટે, અમદાવાદ મંડળે ચાલુ વર્ષમાં હાલના 4 ગતી પ્રતિબંધ (PSR) દૂર કરવામાં સફળતા મેળવી છે.
  • અમદાવાદ મંડળ  પર મેલ/એક્સપ્રેસ ટ્રેનો નું સમયપાલન 97.6% પર જાળવવામાં આવ્યું છે  જે ગયા વર્ષ કરતાં 3% વધુ છે.
  • અમદાવાદ મંડળની સંપત્તિના નુકશાનમાં ઘટાડો અને તેમની જાળવણીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
  • ગતિશીલતા (mobility)- માનનીય વડાપ્રધાનના દૂરદર્શિતા: “રેલ્વે એ દેશની જીવાદોરી છે” માં અમદાવાદ મંડળે નૂર લોડિંગના ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપ્યું છે.
  • છેલ્લા 5 મહિનામાં અમદાવાદ મંડળ દ્વારા સ્થાનિક ઉદ્યોગો અને પોર્ટ ટ્રાફિકને નૂરના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
  • અમદાવાદ મંડળ પર નૂર ટ્રાફિકને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU)ની રચના કરવામાં આવી છે અને અમદાવાદ મંડળના પ્રયાસોને કારણે, આ વર્ષે નૂર શિપમેન્ટમાં 16% ની નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. તેની સાથે સાથે માલગાડીના સંચાલનમાં પણ 20% થી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે.
  • અમદાવાદ મંડળનો પ્રયાસ છે કે તે તેમની સેવાઓમાં સતત સુધારો કરીને મુસાફરોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ સતત કરતુ રહેશે