
16 May 23 : ઝારખંડ હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે સંબંધિત એક કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ અંબુજનાથની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ. કોર્ટે બંને પક્ષોને દલીલોનો સારાંશ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેમના પર કોંગ્રેસના અધિવેશનમાં ગૃહમંત્રી અને તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ મામલે રાંચી સિવિલ કોર્ટ દ્વારા જારી કરાયેલી નોટિસ પર હાઈકોર્ટે પહેલા જ સ્ટે લગાવી દીધો છે. આ મામલો વર્ષ 2019નો છે. ભાજપના નેતા નવીન ઝાએ આરોપ લગાવ્યો હતો કે ચાઈબાસામાં 2018ના કોંગ્રેસ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ તત્કાલિન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે તેમણે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. બાદમાં આ મામલો ઝારખંડ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રાહુલે કહ્યું હતું કે ભાજપમાં જ કોઈ હત્યારો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, કોંગ્રેસમાં નહીં.
ઝારખંડમાં રાહુલ ગાંધી પર ત્રણ કેસ ચાલી રહ્યા છે. નવીન ઝાએ રાંચીની નીચલી કોર્ટમાં અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી સામે કેસ દાખલ કર્યો છે. અમિત શાહના કેસમાં BJP નેતા પ્રતાપ કુમાર દ્વારા ચાઈબાસા કોર્ટમાં વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર ચાઈબાસા કોર્ટે જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું, જેને રદ કરવા માટે રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાલ હાઈકોર્ટે તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે. ત્રીજો કેસ મોદી સરનેમનો છે. 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, રાહુલ ગાંધીની સભા રાંચીના મોરાબાદી મેદાનમાં યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું કે જેમના નામની આગળ મોદી છે તે બધા ચોર છે. આ કથિત વાંધાજનક ટિપ્પણી વિરુદ્ધ એડવોકેટ પ્રદીપ મોદીએ રાંચીની નીચલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં રાંચીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીને હાજર થવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટેની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. આ મામલે પણ 22 મેના રોજ સુનાવણી થવાની છે. આ માહિતી રાહુલ ગાંધીના એડવોકેટ પ્રદીપ ચંદ્રાએ આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના અંગત હાજરીના આદેશ સામે હાઈકોર્ટમાં હજુ સુધી કોઈ અરજી દાખલ કરવામાં આવી નથી.
વધુમાં વાંચો… પાટણના સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મંત્રી રાઘવજી પટેલે લીધી મુલાકાત, જાણો શું કહ્યું?
આજરોજ ગુજરાત સરકારના કૃષિ,પશુપાલન,ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજી પટેલે પાટણમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન & ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઇન્સ્ટિટયૂટમાં થતી તમામ કામગીરીની સમીક્ષા કર્યા બાદ મંત્રીએ સંસ્થાની પ્રગતિ માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. સંસ્થાની મુલાકાત દરમિયાન મંત્રીએ સીમેન લેબ, ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટયૂટ, સિમેન કલેક્શન શેડ તથા વર્કર્સ એમિનિટી, તાલીમ વર્ગ વગેરેની મુલાકાત લઇને પ્રફુલ્લિત થયા હતા. મંત્રી રાઘવજી પટેલે સંસ્થાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ કે, આજરોજ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઇને ખૂબ આનંદ થયો છે. આજે અહીં આવેલ લેબોરેટરીની મુલાકાત લઇને અહીં થતી તમામ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે વાતચીત કરી તેઓને ઇન્સ્ટિટ્યૂટની માટે કેવા પ્રકારની જરૂરિયાતો છે તે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, અહીં બુલની શું વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ જ તેની લગતી કામગીરી કયા પ્રકારની છે, તે તમામ બાબતોનું જાત નિરીક્ષણ કર્યું છે. આજે એ વાતનો આનંદ થયો છે કે વિશ્વની અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે, તે પશુપાલકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. પશુપાલકોની આવક વધારી શકે, સુખી અને સમૃદ્ધ થઈ શકે તે દિશામાં પાટણની આ લેબોરેટરીનું ખૂબ મોટું યોગદાન છે. સરકાર આ લેબોરેટરીની તમામ પ્રકારની મદદ કરવા માટે કટીબદ્ધ છે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના ઉપક્ર્મે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ 23 જૂન, 2010થી પાટણ ખાતે કાર્યરત છે. આ સંસ્થા કુલ 91.23 હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે, જેમાં 29 હેકટર જમીન બાયોસિક્યોરિટી ઝોનથી કવર કરવામાં આવ્યું છે. આ બાયોસિક્યુરિટી ઝોનમાં પ્રયોગશાળા, ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટયૂટ , બુલ શેડ- 8 (ક્ષમતા 192 બુલ), સિમેન કલેક્શન શેડ તથા વર્કર્સ એમિનિટી આવેલ છે. આ બાયોસિક્યુરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત જૈવ સલામતીને લગતા તમામ પગલાનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.
જૈવ સલામતીના ભાગરૂપે ભારત સરકારની નિયત સેંટ્રલ મોનિટરિંગ યુનિટ દ્વારા નિર્ધારિત ધારાધોરણ મુજબ સંસ્થા ખાતેના સાંઢ-પાડાના નિભાવ માટે સંસ્થાની જગ્યામાં જ લીલા તેમ જ સુકા ઘાસચારાનું ઉત્પાદન કરવામા આવે છે. જે અંતર્ગત વર્ષ 2022-23 દરમિયાન અંદાજિત 11 લાખ કિલોગ્રામ લીલોચારો તેમ જ 2.5 લાખ કિલોગ્રામ સૂકા ચારાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. બાયોસિક્યુરિટી ઝોનની બહાર વહીવટી ઓફિસ, તાલીમ સંસ્થા તેમ જ હોસ્ટેલ આવેલ છે. હાલમાં ઉચ્ચ અને ઉત્તમ ગુણવતા ધરાવતા સાંઢ અને પાડાના થીજવેલ સ્પર્મના કુત્રિમ બિજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરતી, સમગ્ર રાજયમાં પશુપાલકોના દુધાળા પશુઓમાં કુત્રિમ બીજદાન માટે સિમેન ડોઝ વિતરણ કરતી તથા પશુપાલન ખાતાના અધિકારી અને કર્મચારીઓને વહીવટી તેમ જ ગ્રામ્ય વિસ્તારના યુવાનને આત્મનિર્ભર બનાવવા માટે સરકારની માર્ગદર્શિકા મુજબ બેઝિક કુત્રિમ બીજદાનની તાલિમ આપતી પશુપાલન ખાતાની સમગ્ર ગુજરાત રાજયની એકમાત્ર સંસ્થા છે. આ સંસ્થાને ભારત સરકારના કેન્દ્રીય મોનિટરિંગ યુનિટ દ્વારા સ્થાપનાથી માંડી અત્યાર સુધી સતત A ગ્રેડ એનાયત કરવામાં આવેલ છે. સંસ્થાને બેઝિક કુત્રિમ બીજદાનની તાલીમ માટે પણ ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. તાજેતરમાં આધુનિક સંશોધનોને અંતે પ્રસ્થાપિત થયેલ લિંગ નિર્ધારિત સીમેન ડોઝ (Sexed Semen Dose) ઉત્પાદનની કામગીરી પણ સંસ્થા ખાતે જૂન 2021થી શરૂઆત કરી દેવામાં આવી છે, જેના દ્વારા ગાય-ભેસમાં કૃત્રિમ બીજદાન થકી 88%થી પણ વધારે પ્રમાણમાં (દર 100 બચ્ચાના જન્મમાં 88થી વધારે માદા બચ્ચા) માત્ર વાછરડી કે પાડી મેળવી શકાય છે.
વર્ષ 2023-24ના ચાલુ વર્ષ દરમિયાન હાલમાં આ સંસ્થા ખાતે મહેસાણી, જાફરાબાદી, સુરતી તેમ જ બન્ની ઓલાદના ભેંસ વર્ગના પાડા તેમ જ ગીર, કાંકરેજ, એચ.એફ., એચ.એફ. સંકર જેવા ગાય વર્ગના સાંઢ એમ કુલ મળી 159 જેટલા સાંઢ–પાડા નિભાવી થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન તેમ જ વિતરણ કરવામાં આવે છે, જેમા જર્મનીથી આયાત કરેલ એક્ઝો ટિક એચ.એફ. સાંઢનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાની સ્થાપનાથી માંડી અત્યાર સુધીમાં કુલ 2.70 કરોડથી પણ વધુ થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન તેમ જ વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત માર્ચ-2023 સુધીમાં 2,50,000થી વધુ લિંગ નિર્ધારિત થીજવેલ સીમેન ડોઝ (Sexed Semen Dose) નું ઉત્પાદન કરવામા આવેલ છે. આ સંસ્થા ખાતે વર્ષ 2010-11થી માંડીને અત્યાર સુધીમાં કુલ 3700થી વધારે અધિકારી અને કર્મચારીને રિ-ફ્રેશર તાલિમ તેમ જ ગોપાલમિત્ર તેમ જ MAITRI અંતર્ગત કુત્રિમ બીજદાનની બેઝિક તાલીમ આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ 260 જેટલા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને સ્વરોજગારી હેતું ભારત સરકારની રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત મલ્ટીપરપઝ આર્ટીફિશિયલ ઇંસે મિનેશન ટેક્નિશિયન ઇન રૂરલ ઇન્ડીયા (MAITRI)ની તાલિમ આપવાનું આયોજન છે. આમ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા પશુપાલન વિભાગ, ગુજરાત સરકાર તેમ જ પાટણ માટે એક ગૌરવની બાબત છે. આજરોજ મંત્રી રઘવજી પટેલ દ્વારા સેન્ટરની મુલાકાત દરમિયાન પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, આગેવાનો, ધ એનિમલ હસ બન્ડરી ઓફિસર ડો.એસ.બી ભગોરા,જોઈન્ટ ડાયરેક્ટર, જોઇન્ટ ડાયરેક્ટર (A.H),ડો. બી.એમ. સંગારા, ડેપ્યુટી ડાયરેક્ટર એ. યુ. આઈસીપી, ડો.પ્રદીપ પટેલ,આસિ. ડાયરેકટર,FSS પાટણ, ડો.આઈ. એસ. પટેલ, ડો. એસ.જે. પટેલ, ડો. ટી.જે. પટેલ, આસિ. ડાયરેક્ટર ADIO, પાટણ વગેરે ઉપસ્થત રહ્યાં હતાં.
વધુમાં વાંચો…ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના સંબંધમાં ભાજપના સાંસદ વિરુદ્ધ આખરે 3 મહિના બાદ FIR
ડો. અતુગ ચગ આત્મહત્યા કેસમાં, ગીર સોમનાથ જિલ્લા પોલીસે ત્રણ મહિના બાદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધી છે. ડો. ચગના પુત્રની ફરિયાદ અને FIR માં ભાજપના સાંસદ વિરુદ્ધ આત્મહત્યા બાદ આરોપ લગાવવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળ શહેરમાં ડો.ચુગે આત્મહત્યા કરી લીધી હતી. ડોક્ટરની સુસાઈડ નોટમાં ચુડાસમાનું નામ સામે આવ્યું હતું. જેથી આ આરોપસર ફરીયાદ દાખલ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસે વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના સંબંધમાં ભાજપના સાંસદ વિરુદ્ધ FIR નોંધી છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ નોંધાયેલી FIRમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ એફઆઈઆર ડો.ચુગના પુત્ર હિતાર્થની ફરિયાદ પરથી વેરાવળ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 12 ફેબ્રુઆરીના રોજ, ડૉ. અતુગ ચગે તેમના ક્લિનિકમાં છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી. તબીબે આપઘાત કરતા પહેલા એક ચિઠ્ઠી મૂકી હતી બીજેપી સાંસદનું નામ લખેલું હતું. ત્યારથી પીડિત પરિવાર બીજેપી સાંસદ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા પોલીસે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ IPC કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) , 506-2 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધ્યો છે. સાંસદ વિરુદ્ધ FIR નોંધાયા બાદ હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. સાંસદ સામે એફઆઈઆર ન નોંધવાને લઈને વેરાવળ શહેરમાં વિરોધ પણ થયો હતો. આ પછી પરિવારે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. હાઈકોર્ટે પણ પોલીસ અધિકારીઓને ફટકાર લગાવી હતી. ત્યારે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને ડો.અતુલ ચગના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા. ડોક્ટરની આત્મહત્યાની સુસાઈડ નોટમાં સાંસદનું નામ આવતાં સાંસદે લાંબા સમય સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પીડિતાના પરિવારે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. આ કેસ મામલે ભારે વિવાદ બાદ પોલીસે હવે ત્રણ મહિના બાદ FIR નોંધી છે.
વધુમાં વાંચો… સાઈકલની ચેઈનથી ગળું દબાવ્યું, પથ્થરથી કચડી નાખ્યું માથું, ત્રણ સગીરોએ કરી 12 વર્ષના બાળકની હત્યા
મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં હત્યાનો એક એવો સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેમાં હત્યા કરનાર આરોપી અને મૃતક બંને સગીર છે. આ હત્યા અત્યંત ક્રૂરતાથી કરવામાં આવી છે. પહેલા પીડિતનું સાઈકલની ચેઈન વડે ગળુ દબાવી દીધું પછી તેનું માથું પથ્થરથી કચડી નાખવામાં આવ્યું. પોલીસને શંકા છે કે આરોપી બાળકોએ કોઈ ટેલિવિઝન સિરિયલ જોયા બાદ આ ગુનો કર્યો છે.
SP રામજી શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર આ ઘટના બરઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં 12, 14 અને 16 વર્ષના ત્રણ બાળકોએ 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી. આરોપીઓ સાથેની વાતચીતમાં જે ખુલાસો થયો છે તે મુજબ હત્યા પાછળનું કારણ આરોપીનો પીડિતની બહેન સાથે વાત કરવાનો પ્રયાસ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ પીડિતને લલચાવીને તેમના ઘરે બોલાવીને પછી સાયકલની ચેઈનથી તેનું ગળું દબાવ્યું અને તેના શરીર પર ચાકૂ મારી દીધું. આ પછી તેની લાશને બોરીમાં ભરીને ફેંકવાનો પ્રયાસ કર્યો. ઘટના બરઘાટના મગરકાઠા ગામની છે. બરઘાટ એસડીઓપી શશિકાંત સરેયમે જણાવ્યું કે મુખ્ય આરોપીની ઉંમર 16 વર્ષ છે. તે પીડિતની બહેન સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. આ બાબતે પીડિત અને આરોપી વચ્ચે ઝઘડો થયો. ઝઘડા બાદ આરોપી બાળકે 2 મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો. SP રામજી શ્રીવાસ્તવે જણાવ્યું કે બાળકોએ જે રીતે ગુનો કર્યો છે તે જોતા એવી આશંકા છે કે આરોપીઓએ ટીવી કે મોબાઈલ પર અપરાધ સંબંધિત કન્ટેન્ટ જોઈને આ આઈડિયા લીધો હશે. બાળકના મૃતદેહ પર ચાકુથી હુમલાના ઘણા નિશાન મળી આવ્યા છે. આ પહેલા મધ્યપ્રદેશના ભીંડમાં ટ્યુશન માટે ગયેલા વિદ્યાર્થીની લાશ પડોશીના શિક્ષકના ઘરમાં રાખવામાં આવેલા કુલરમાં મળી આવી હતી. પોલીસે હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.