કેજરીવાલે કહ્યું, ગુજરાતના ખેડૂતોના માથે દેવું ઘણું છે, પાક વિમા માટે ધક્કા ખાય છે

02 Sep 22 : ગુજરાતમાં અત્યાર સુધીમાં મહિલા સન્માન રાશિ, વીજળી, રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્યની ગેરંટી કેજરીવા આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સુરેન્દ્ર નગર વિસ્તારના પ્રવાસે છે ત્યારે તેઓ આજે ખેડૂતોને ગેરન્ટી આપશે. આજે મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ કિશાન પક્ષની સમસ્યાઓ તેમની પાસે જઈને જાણી છે ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગેરન્ટી આપવામાં આવશે.

ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોમાં જે સમસ્યા છે તેમાં ખેડૂતો પર દેવું વધુ છે. આ ઉપરાંત પાક વિમા માટે ધક્કા ખેડૂતોને ખાવા પડી રહ્યા છે. આ ઉપરાંત જે પણ પાક ઉગાડવામાં આવે છે તેના યોગ્ય ભાવ નથી મળતી, એમએસપી હિસાબથી ભાવ નથી મળતા. આ ઉપરાંત વીજળીની પણ સમસ્યા છે. આ સાથે જમીન માપણી સર્વે ખોટો થયો છે.

ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ પર ઉતરી બાય રોડ દેવભૂમિ દ્વારકા જવા રવાના થયા છે. ત્યારબાદ તેઓ દ્વારકામાં જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલની ગેરન્ટી પર સૌ કોઈની નજર છે. ત્યારે તેઓ આજે ખેડૂતોને લગતી સમસ્યાઓને લઈને ગેરન્ટી સુરેન્દ્ર નગરના કાર્યક્રમમાં આપે તેવી શક્યતા.

3 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગરનો પ્રવાસ કરશે જ્યાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સરંપચ અને કાર્યકરો હાજર રહેશે. ત્યારે ખેડૂતો માટે તેમજ ગ્રામીણ કક્ષાએ મોટી જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત આજે તેમને માછીમારો જે પાકિસ્તાન જેલમાં બંધ છે આ મામલે કેન્દ્ર સરકારને તેમને છોડવા મામલે રજૂઆત કરવા માટે પણ કહ્યું હતું.