
01 Aug 22 : PGVCL ની ટીમ દ્વારા અનેક જગ્યાએ દરોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક જગ્યાએ વીજ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં રાજકોટ તથા બીજા ૧૨ જેટલા ગામમાં ચેકીંગ કરાયું હતું. આ સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
PGVCL દ્વારા અંદાજે ૧૨ જેટલા ગામોમાં કાર્યવાહી હાથ ધરાય હતી. રાજકોટ ગ્રામ્યના પડધરી, કુવાડવા, મેટોડા, શાપર, રોણકી ગામમાં વીજ અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગ કરાયું હતું . અલગ અલગ ૫૩ ટુકડીઓએ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં, વેપારીઓ અને ઘરોમાં વીજ ચેકીંગ ડ્રાઈવ ચલાવી હતી. જેમાં ૧૦ ગામોના ૬ ફીડરો આવરી લેવામાં આવ્યા હતાં. પી.જી.વી.સી.એલ.ના વીજ દરોડા સતત ચાલુ છે.
સુરેન્દ્રનગર સર્કલના ડીવીઝન હેઠળના ૧૩ ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૩૯ ટુકડીઓએ વઢવાણ,થાન,મૂળીના વેપારીઓની દુકાનો માં ધોંસ બોલાવી હતી. અને વીજ ચેકીંગ કર્યું હતું. ૧૩ જેટલા આવરી લેવાયેલ ગામોમાં વીજ તંત્રએ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય હતી. આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીના હળવદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ તંત્રની તવાઈ બોલાવાય હતી. ટુકડીઓએ વીજ ચેકીંગ કરી વીજચોરી પકડી પાડી હતી.
- 01 Aug 22 : રાજકોટના પોર્શ એરિયામાં આવેલ કરોડો રૂપિયાની કિંમતનો બંગલો બે જણાને વેચી દસ્તાવેજ નાં કરાવનાર અનિલ ઝડપાયો.
રાજકોટમાં દિવસેને દિવસે કાયદા વ્યવસ્થા ખોરવાઈ રહી હોય તેમ લાગે છે. લોકો પોલીસનો ડર દીવસે ને દિવસે ઓછો થતો હોઈ તેમ લોકો ચોરી, લૂંટફાટ, ઠગાઇના ગુના આચરે છે. રાજકોટમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં શેરબજારનું કામ કરતા બ્રોકર અનિલ ગાંધીએ રાજકોટના પોર્ષ એરિયામાં આવેલ બંગલાને બે જણાને વેચી ઠગાઇ કરી છે.
મળતી માહિતી અનુસાર શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવાડ રોડ પરના કોટેચા ચોક ખાતેના વૈભવી બંગલાનું વિવાદીત મનાતા શેર બ્રોકરે બે વ્યક્તિને વેચાણ કરી રૂા.૮.૫૧ કરોડની છેતરપિંડીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જુગારીની છાપ ધરાવતા અબજોપતિ અનિલ ગાંધીના ખરડાયેલા મનાતા ભૂતકાળ અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો કેટલીય ચોકાવનારી વિગતો બહાર આવે છે. શેર બ્રોકર અનિલ ગાંધીએ કોટેચા ચોક ખાતેના બંગલાનું વેચાણ પ્રવિણભાઇ પરમારને કર્યુ હોવા છતાં સમિત કનેરીયાને વેચાણ કરી રૂા.8.51 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે. અનિલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી વૈભવી લાઇફ સ્ટાઇલ અને મોટા ગજાના જુગારી તરીકે અનેક વખત વિવાદમાં સપડાયો છે. તેમજ શેર ઇસ્યુ બહાર પાડી અનેકને વાક ચાર્તુયથી પ્રભાવિત કરી ફસાવ્યા બાદ છેતરપિંડી કરવાની ટેવ અંગે ઉંડી તપાસ થાય તો શહેરના અખબારના મોટા ગજાની વ્યક્તિને પણ પોતાની ઝાળમાં ફસાવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
ફરિયાદમાં પ્રવિણભાઈએ જણાવ્યા પ્રમાણે તે ડીઝલ એન્જીન, રાઈસ મીલ અને વોડાફોન આઈડીયાની ઢેબર રોડ પર આવેલી ફ્રેન્ચાઈઝી ધરાવવા ઉપરાંત અલગ-અલગ વેપાર ધંધા કરે છે. પાડોશમાં રહેતા આરોપીએ પોતાનો ગાંધી હાઉસ નામનો બંગલો વેંચવાની વાત કરતા રૂા.8.50 કરોડનો સોદો કર્યો હતો. 2018 ની સાલમાં આરોપીએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપતા તેણે આરોપીને રૂા.2.50 કરોડ રોકડા ચુકવ્યા હતા. રૂા.11 હજાર નું લખાણ બતાવ્યું હતું. આરોપીએ પોતાના સ્વહસ્તાક્ષરમાં એક કાગળમાં લખાણ પણ કરી આપ્યું હતું. તે વખતે આરોપીએ જણાવ્યું કે બંગલાનો અસલ દસ્તાવેજની ઉતરોતર ફાઈલ મુંબઈમાં તેના પિતાના લોકરમાં પડી છે. તેના પિતા અવસાન પામ્યા છે. પરંતુ નોમીનેશનમાં તે છે. બાદમાં તેણે આરોપીને અવાર-નવાર દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. પરંતુ નહી કરી આપતા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
2021 માં આરોપીએ તેને બંગલાનો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા ઘ2મેળે સમાધાન થયું હતું. જે અંગેનું સોગંદનામું સોસાયટીના પ્રમુખ રમાબેન માવાણીના પતિ રામજીભાઈએ મુખ્ય કર્તાહર્તા તરીકે કરાવ્યું હતું. ત્યારબાદ આરોપીને તે મળતા રૂા.50 લાખ વધુ આપવાનું નક્કી થયું હતું. જે મુજબ તેણે આરોપીને રૂા.6.20 કરોડ આપ્યા હતા. જેમાંથી રૂા.1.20 કરોડ આરટીજીએસથી, રૂા.2.50 કરોડ રોકડા અને અગાઉ આપેલા રૂા.2.50 કરોડ રોકડાનો સમાવેશ થાય છે. સબ2ાજીસ્ટ્રાર ઓફિસ ખાતે આરોપીએ તેના પુત્ર હર્ષિતના નામનો દસ્તાવેજ કરી આપતા તેણે આરોપીને તે વખતે રૂા.2.80 કરોડ આપ્યા હતા. આ રીતે આરોપીને કુલ 9 કરોડ ચુકવતા આરોપીએ તેના પૂત્ર હર્ષિતના નામનો દસ્તાવેજ કરી આપવાની સાથોસાથ બંગલાનો કબ્જો તેને સોંપી દીધો હતો. તેણે પણ બંગલાનો કબ્જો સંભાળી લીધો હતો. પરંતુ તેણે ઉતરોતર દસ્તાવેજની ફાઈલ લેવાની બાકી હતી.
આરોપીએ તે ફાઈલ ખોવાઈ ગયાનું જણાવ્યું હતું. બાદમાં તેને જાણવા મળ્યું કે આરોપીએ તેના પુત્ર હર્ષિતને બંગલાનો જે દસ્તાવેજ કરી આપ્યો છે તે બંગલાનો સાટાખત સ્મિત કનેરીયાને 2019 માં પૈસા લઈ કરી આપ્યો છે. એટલુ જ નહી આરોપીએ સ્મિતને જ બંગલાની અસલ ઉતરોતર ફાઈલ આપી દીધી છે. વધુ તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ તેને જે દસ્તાવેજ કરી આપ્યો હતો તે હાલ આઈસીઆઈસીઆઈ બેંકમાં લોન માટે આપ્યો છે. આ અંગે પ્રવિણભાઈએ અરજી કરી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવી આજે ક્રાઈમ બ્રાન્ચે આઈપીસી કલમ 406, 420 હેઠળ નો ગુનો નોંધી આરોપી અનિલ ગાંધીની સાથ અટકાયત કરી તપાસ જારી રાખી છે.