
05 Nov 22 : ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ૦૫/૧૧/૨૦૨૨ થી તા. ૧૦/૧૨/૨૦૨૨ દરમિયાન યોજવાનુ જાહેર કરવામાં આવેલ છે. ચૂંટણીઓ સમગ્ર ગુજરાત રાજયમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં સમાવીષ્ટ જિલ્લાઓ પૈકી રાજકોટ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૨ના રોજ ચુંટણી યોજાનાર છે. તેમજ તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી સરકારી એન્જીનીયરીંગ કોલેજ, મવડી – કણકોટ રોડ કૃષ્ણનગર પાસે.કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઈ શકે. મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અરૂણ મહેશ બાબુ, જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ, ખાતે આવેલ મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૦૮/૧૨/૨૦૨૨ સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે.
જેમાં (૧) કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. (૨) મતગણતરી કેન્દ્રની આસપાસના ર૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં. (૩) ક્રોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. (૪) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. ૫) મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, રાજકોટને અધિકૃત કરવામાં આવે છે. ૬)મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે… મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ
વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે રાજકોટ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. મતદારો નિર્ભયતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે નહીં તે માટે રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો અને તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહન લઈ જવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ આદેશો ચુંટણી તેમજ ચુંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચુંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચુંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન / ધંધા ના સ્થળે આવવા જવા તેમજ ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહી.